રાજકોટ જિલ્લામાં હાલ ડબલ ઋતું પ્રવર્તે છે ત્યારે રોગચાળમા વધારો થયો છે અને ઓરીના કેસમાં વધારાને કારણે હાઈરીસ્ક વિસ્તારની ઓળખ કરીને તેમાં રસીકરણનું અભિયાન ચલાવવામાં આવશે.જિલ્લામાં અનેક જગ્યાએ રસીને લઈને અંધશ્રદ્ધા પ્રવર્તે છે. ત્યારે આવી જગ્યાઓ પર જાગૃત ફેલાવવા માટે તેમજ બાળકોના આરોગ્ય માટે લોકો સજાગ થાય તે માટે સ્થાનિક આગેવાન અને ધર્મગુરુઓની પણ મદદ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ઓરીના કેસમાં વધારો ન થાય તે માટે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તંત્ર આગામી ત્રણથી ચાર દિવસમાં જિલ્લામાં સરવે કરશે.
આ સરવે દરમિયાન જિલ્લામાં હાઈરીસ્ક વિસ્તારની ઓળખ કરીને તેમાં રસીકરણનું અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લામાં અનેક જગ્યાએ રસીને લઈને અંધશ્રદ્ધા પ્રવર્તે છે. ત્યારે આવી જગ્યાઓ પર જાગૃત ફેલાવવા માટે તેમજ બાળકોના આરોગ્ય માટે લોકો સજાગ થાય તે માટે સ્થાનિક આગેવાન અને ધર્મગુરુઓની પણ મદદ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ઉપરાંત જામનગર જિલ્લાની તથા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી હોસ્પિટલ ખાતે પણ ઓરી માટે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
હાલ હોસ્પિટલમા બાળ દર્દીઓની સંખ્યામાં એકદમથી વધારો જોવા મળતા પાંચ વોર્ડમાં કુલ 350 જેટલા બાળકો દાખલ છે. જેના કારણે અસુવિધા ઉભી થઈ.

