મોરબી શહેરમાં આ નવરાત્રી પર્વમાં અનેક નામી અનામી ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ કામધેનું સોસાયટીમાં પણ પ્રાચીન ગરબી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટી દ્વારા આયોજીત ગરબી મંડળમાં પાંચમાં નોરતાએ અનાથ આશ્રમની બાળાઓ પણ સ્થાનિક બાળાઓએ સાથે ગરબા રમી માતાજીની આરાધના કરી હતી નવરાત્રી દરમિયાન કામધેનું સોસાયટીની પ્રાચીન ગરબી મંડળે ગરબાથી થનારી આવક અનાથ આશ્રમમાં રહેતી બાળાઓના લાભાર્થે ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

