મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ દીવંગતના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું સાત દિવસ સુધી ભાગવત સપ્તાહની સાથે અલગ અલગ આયોજન થયા હતા તો કથાના અંતિમ દિવસે ઉધોગકારો દ્વારા કથાના યજમાન કાંતિલાલ અમૃતિયાની રજતતુલાનું આયોજન કર્યું હતું અને 84 કિલો રજતથી ઉધોગકારોએ કાંતિલાલ અમૃતિયાની રજત તુલા કરવામાં આવી હતી આ ઉપરાંત કાંતિભાઈ દ્વારા જ્યાં સુધી કથાનું આયોજન નહી થાય ત્યાં સુધી દાઢીના વાળ ન ઉતારવાનો સંકલ્પ લીધો હતો તે સંકલ્પ પણ કથાના અંતિમ દિવસે માનતા પૂર્ણ થઈ હતી
ભાગવત સપ્તાહના સાત દિવસ દરમિયાન રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ ધારાસભ્ય અને મંત્રી સહિતના આગેવાનો ઉપરાંત અલગ અલગ પક્ષના સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતો ટો અંતિમ દિવસે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ કથા શ્રવણનો લાભ લીધો હતો

