વાંકાનેર તાલુકાના ભલગામમાં લાખાભાઈ ભરવાડ ની વાડીમાં મજૂરી કામ કરતા ભાઈ સોલંકી નામના મજુરની ત્રણ વર્ષની દીકરી અર્પિતા તેના મામા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમાર ના ઘરે હતી તે દરમિયાન રાત્રિના સમયે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જે બાદ બાળકીને ઝેરી અસર થતા બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે સારવાર કારગત નિવડતા બાળકીનું મોત થયું હતું બનાવ અંગે વાંકાનેર પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

