વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી તા.28ને રવિવારના કાર્યક્રમ માટે રાજકોટ એસટી ડિવિઝનની 210 સહિત સૌરાષ્ટ્ર્રમાંથી 590 અને સમગ્ર રાયમાંથી કુલ 2400 એસટી બસની ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાન તા.28 ઓગસ્ટનાં રોજ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે જેમાં કચ્છમાં ભુકંપનું સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યુ છે તેનું લોકાર્પણ તેમજ હિંમતનગર પાસે આવેલી સાબર ડેરીનો શિલાન્યાસ અને પેકેજીગં પ્લાન્ટનું ઉદઘાટન તથા ગાંધીનગર નજીક આવેલ ગિફટ સીટીમાં આંતરરાષ્ટ્ર્રીય બુલિયન માર્કેટનો પ્રારભં કરાવવા આવનાર હોય મેદની એકઠી કરવા માટે રાજયનાં એસટી નિગમ દ્રારા 2400 બસ ફાળવવામાં આવી છે.
રાજકોટથી ૨૧૦, જૂનાગઢથી ૧૨૫, જામનગરથી ૧૦૦, અમરેલીથી ૧૦૦, ભાવનગરથી ૫૫ બસ સહિત સૌરાષ્ટ્ર્રમાંથી ૫૯૦ સહિત રાયમાંથી ૨૪૦૦ બસની ફાળવણી

