મોરબી નવલખી રોડ પર આવેલ પીપળીયા ચાર રસ્તા નજીક ગુરુવારે સવારે એક ટ્રકની કેબીનમાંથી એક અજાણ્યા પુરુષની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટના અંગે આસપાસના વેપારીઓએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. પોલીસના ઘટના સ્થળે પહોચ્યા બાદ મૃતદેહને પીએમ અર્મૃથે ખસેડવામાં આવશે પીએમ બાદ મૃતકની હત્યા થઇ કે અકસ્માત મોત તે અંગે સાચો ખ્યાલ આવશે જોકે પ્રત્યક્ષ દર્શીઓના મતે શરીર પર લાગેલા ઈજાથી હત્યા થઇ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

