મોરબી જીલ્લામાં યુવાનો ડ્રગના રવાડે ન ચઢે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ શાળા કોલેજ માં સેમીનાર કરી જાગૃતિ ફેલાવવાં આયોજન કરી રહી છે. ત્યારે ગત ૨૬ જુને વિશ્વ નશાબંધી દિવસ નિમિત્તે નવયુગ કોલેજમાં એન્ટી ડ્રગ સેમિનારનું આયોજન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મોરબી જિલ્લા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ માં ફરજ બજાવતા પી.આઈ જે.એમ.આલ સાહેબએ હાલમાં યુવાનોમાં ડ્રગ ની અસર તેનાથી બચવાના ઉપાયો પર વ્યાખ્યાન આપ્યું હતું જેમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

