રાજકોટ શહેરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે હવે આગામી સોમવારથી શહેરમાં વસતા 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવા માટે જાહેરાત કરી છે.

રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાએ આ અંગે જણાવ્યું હતું કે, આ રસીકરણમાં 8 હજાર જેટલા બાળકોને રશી અપાશે. વેક્સિન લેવા માટે આવનારા બાળકોનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાશે.

બાળકોએ આધારકાર્ડ, સ્કુલનું આઈકાર્ડ રસીકરણના સેન્ટર ઉપર દેખાડવાનું રહેશે. તેમજ બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે. આ રસીકરણ અભિયાનમાં 350થી વધુ શાળા અને કોલેજના બાળકોને 400 જેટલી મેડિકલ ટીમ દ્વારા રસી આપવામાં આવશે.

