HomeGujaratNorth Gujaratશહેરમાં રઝળતાં ઢોરનો ત્રાસ અટકાવવા માટે મ્યુનિ.એ છેલ્લા 18 દિવસમાં 1281 જેટલા...

શહેરમાં રઝળતાં ઢોરનો ત્રાસ અટકાવવા માટે મ્યુનિ.એ છેલ્લા 18 દિવસમાં 1281 જેટલા પશુઓ પકડ્યાં : 99 જેટલા પશુમાલિકો સામે ફરિયાદ

અમદાવાદ, રવિવાર

  નિકોલ વિસ્તારમાં લીલાનગરથી ડાયમંડ મિલ તરફના રસ્તા પર રઝળતાં ઢોર પકડવા ગયેલી અમદાવાદ મ્યુનિ.ની ટીમને જોઈને પશુ ભગાડવા લાગેલા તેમ જ બાઇક ચલાવી આગળ આવી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા 6 જેટલા લોકો સામે મ્યુનિ.એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, શહેરમાં રઝળતાં ઢોરનો ત્રાસ અટકાવવા માટે મ્યુનિ.એ છેલ્લા 18 દિવસમાં જ જાહેરમાં રઝળતાં 1281 જેટલા પશુઓ પકડ્યાં છે. જ્યારે 99 જેટલા પશુમાલિકો સામે મ્યુનિ.એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  નોંધનીય છે હાઈકોર્ટે આપેલા આદેશને પગલે મ્યુનિ.એ હાથ ધરેલી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં પકડાયેલા 1281 પશુઓ પૈકી 172 પશુને તેમના માલિકો છોડાવી જતાં, મ્યુનિ.એ 9.61 લાખનો દંડ વસૂલ્યો છે.ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિ.એ પકડેલા 10524 જેટલાં રખડતાં પશુઓ પૈકી 1349 પશુઓને છોડવા માટે મ્યુનિ.એ પશુમાલિકો પાસેથી રૂ.77.50 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે 777 જેટલા પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW