HomeGujaratગોર ખીજડિયાથી નારણકા સુધીનો રોડ બિસ્માર, તાત્કાલિક કામગીરીની માંગ

ગોર ખીજડિયાથી નારણકા સુધીનો રોડ બિસ્માર, તાત્કાલિક કામગીરીની માંગ

મોરબી તાલુકાના ગોર ખીજડિયા પાટીયાથી નારણકા સુધીના રોડની હાલત અત્યંત ખરાબ બની જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની રજૂઆત માનસર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. રોડની સાઈડમાં ગેસ લાઇન નાખવાના કામને કારણે પણ અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે.

આ ઉપરાંત વનાળિયા અને માનસર વચ્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ રોડ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે બાઈકચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. આ સમગ્ર મામલે માનસર ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત મોરબી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે. રોડનું કામ તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW