મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક ગઈકાલે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીજે-27-ટીજી-6474 નંબરની સુપર કેરી ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક આગળ જઈ રહેલી જીજે-36-ડબ્લ્યુ-2215 નંબરની સીએનજી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકી તથા રીક્ષામાં સવાર રવિભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત, ઉતમકુમાર નામના મુસાફરને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે રીક્ષા ચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે સુપર કેરી વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

