વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ વરમોરા સીરામીકના લેબર કવાટર્સમાં રહેતા અને મૂળ યુપીના વતની પિયુષ આનંદકુમાર અગ્નિહોત્રી નામના યુવકની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનોમન લાગી આવતા યુવાને ગઈકાલના રોજ પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

