મોરબી ઘુંટુના રામનગરી સોસાયટીમાં રહેતા તથા મજૂરી કામ કરતા ડાહીબેન માવજીભાઈએ અજાણ્યા ચોર સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તેમના રહેણાંક મકાનના હોલ (ઓસરી)નો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં રસોડાના સ્ટોરમાં રાખેલી તિજોરીમાંથી સોના-ચાંદીના નાના મોટા દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 1,19,485ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંઘી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

