હળવદના અજીતગઢ ગામની સીમમાં આવેલ પ્રેમજીભાઇ પટેલની વાડીએ રહેતા અને મૂળ દાહોદના વતની કિર્તીદાબેન સામંતભાઇ ઉર્ફે અશ્ર્વીનભાઇ ચૌહાણ નામની પરણિતાને ગઈકાલના રોજ વાડીએ ઇલેકટ્રીક ટી.સી પાસે અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

