મોરબીના ગાળા ગામે આવેલ રીયોગ્રેનાઇટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ એમપીના વતની રીંકુબેન કમલભાઇ મોરે નામના પરણિતાએ ગઈકાલના રોજ લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં રીંકુબેનનો લગ્ન ગાળો ૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું.

