વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા રીટાસીંગ ઘનશ્યામસિંગ દેબેન્દ્રસીંગ આદીવાસીવાળીને લગ્ન થયાને આશરે ચાર વર્ષ થયેલ હોય અને પોતાના પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા રિસાઇ જઈ અને પતિ રૂમની બહાર જતા રૂમ બંધ કરી પંખા સાથે ચુંદડી બાંધી પોતાની જાતે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.


