હળવદના દીઘડીયા ગામની સીમમાં તરૂણભાઇ પટેલની વાડીમાં રહેતા અને મૂળ પંચમહાલના વતની સરોજબેન જગદીશકુમાર નાયક નામની સગીરાને પાંચેક મહીના પહેલા તેના વતનની બાજુમાં આવેલ ગામના છોકરા સાથે સગાઇ નક્કી કરેલ અને બાદ તે સગાઇ કરેલ ના હોય જે બાબતે લાગી આવતા ગઈકાલના રોજ સગીરાએ વાડીની ઓરડીમાં પતરાને સપોર્ટ આપતી લોખંડની એંગલ સાથે સાડી વડે પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું હતું.

