મોરબીમાં પાડાપુલ પાસે આવેલા રેલવે બ્રિજ પરથી એક યુવાને મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવાન ગત તા. 29/10/2025ના રોજ રાત્રિએ પોતાના ઘરેથી નીકળ્યો હતો. તેણે પરિવારજનોને ફોન કરીને વાતચીત કરી હતી. ત્યારબાદ યુવાને પાડાપુલ નજીકના રેલવે બ્રિજ પરથી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાદ ફાયર વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરી તે વ્યક્તિને શોધી લઇ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

