માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામમાં તા 22 ઓક્ટોબરના રોજ વિક્રમ સવંત 2082 ના પ્રારંભે નુતન વર્ષનું સર્વ સમાજનું સ્નેહ મિલન અને અન્ન કૂટ મહોત્સવનું આયોજન પ્રસિદ્ધ રામબાઈ માની જગ્યા ખાતે કરાયું છે. સ્નેહ મિલન સાથે અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે આ અન્નકૂટના મુખ્ય સહયોગી જુના નાગડાવાસના વતની જીતેશભાઈ લખમણભાઈ બાલસરા દ્વારા રૂ ૪ લાખનો સહયોગ કરવામાં આવ્યો છે આ સ્નેહ મિલન સમારોહમાં વવાણીયા ગામમાં રહેતા અને અન્ય શહેરમાં રહેતા આ ગામના વતનીને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે

