મોરબીના લીલાપર રોડ પર આવેલા મહાદેવ કારખાનામાં રહેતો કિશોરભાઈ બચુભાઈ વાઘાણી નામનો 34 વર્ષીય યુવક બુધવારે બપોરના સમયે મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો જે અંગે ફાયર વિભાગને કોલ જતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી તેની શોધખોળ કરી હતી જોકે ગઈકાલે પત્તો ન લગતા આજે ફરી સવારે બેઠા પુલ નજીક શોધખોળ કરતા સવારે આ મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે આ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી બી ડીવીઝનની ટીમ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી આ મૃતક કિશોરનું અકસ્માતે મોત થયું કે આપઘાત તે અંગે કોઈ માહિતી સામે આવી નથી આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ,મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી શક્યતા છે

