HomeGujaratમોરબીના લીલાપર ફિલ્ટર પાસે ડૂબેલા યુવકનો બેઠા પુલ પાસેથી મૃતદેહ મળ્યો

મોરબીના લીલાપર ફિલ્ટર પાસે ડૂબેલા યુવકનો બેઠા પુલ પાસેથી મૃતદેહ મળ્યો

મોરબીના લીલાપર રોડ પર આવેલા મહાદેવ કારખાનામાં રહેતો  કિશોરભાઈ બચુભાઈ વાઘાણી નામનો 34 વર્ષીય યુવક બુધવારે બપોરના સમયે મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો જે અંગે ફાયર વિભાગને કોલ જતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી તેની શોધખોળ કરી હતી જોકે ગઈકાલે પત્તો ન લગતા આજે ફરી સવારે બેઠા પુલ નજીક શોધખોળ કરતા સવારે આ મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે આ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી બી ડીવીઝનની ટીમ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી આ મૃતક કિશોરનું અકસ્માતે મોત થયું કે આપઘાત તે અંગે કોઈ માહિતી સામે આવી નથી આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ,મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી શક્યતા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW