મોરબીના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ સુરેલાએ ગત તા. 16મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

