મોરબી શહેરમાં મહાનગર પાલિકા દ્વારા હાલ અલગ અલગ સ્થળે ડ્રેનેજ લાઈન રોડ રસ્તા અને અન્ય નાના મોટા રીપેરીંગ કામ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન ને જોડતા રોડ પર મનપા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી ને પગલે મનપા દ્વારા આ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ જાહેર કર્યો છે અને તેના બદલે વૈકલ્પિક રૂટ તરીકે જુના બસ સ્ટેશનથી વીજય સિનેમા અને ત્યાંથી નવા ડેલા રોડનો વાહન ચાલકોને ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે

