HomeGujaratહળવદના ઢવાણા પાટિયા પાસેની લુંટની ઘટનામાં વાંકાનેરના બે શખ્સો ઝડપાયા

હળવદના ઢવાણા પાટિયા પાસેની લુંટની ઘટનામાં વાંકાનેરના બે શખ્સો ઝડપાયા

 

હળવદના જીવા ગામના વતની અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂતને ગત તા.-3 ના રોજ ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલા બે શખ્સે શિવ મંદિરનું સરનામું પૂછવાના બહાને રોકી તેમની પાસે રહેલા રૂ.- 1.22 લાખની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી.

જે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમ આરોપીઓની શોધખોળ કરી હતી, આ દરમિયાન એલસીબી ટીમના ઈશ્વર કલોતરા અને ભરતભાઈ ઝીલરીયાને બાતમી મળી હતી કે, બનાવ સમયે ઘટના સ્થળે જોવા મળેલી ગ્રે કલરની કાર વાંકાનેરના ભોજપરાના વતની ધારુનાથ અને બહાર્દુરનાથ ની હોય જે બન્ને શખ્સ હાલ રાતાભેર થી માથક જવાના રસ્તે જઈ રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી GJ-36-AJ-6957 નંબરની કારમાથી બંને શખ્સને રૂ. 1.20 લાખ રોકડા સાથે ઝડપી લીધા હતા. તેમજ લુંટમાં વપરાયેલી કાર સહીત કુલ રૂ.5.20 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી બહાર્દુરનાથ સુરમનાથ અગાઉ વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકામાં છેતરપીંડી, ધાક ધમકી, જાહેર સુલેહભંગ અને ટ્રાફિક નિયમન ભંગ સહિતના ગુનામાં જ્યારે આરોપી ધારુનાથ ઝવેરનાથ ધોરાજી ખાતે ચોરીના ગુનામાં અને જામજોધપુરમાં છેતરપીડીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW