મોરબીના શકત શનાળા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ચૌહાણ નામના વૃદ્ધ શ્વાસની બીમારીથી પીડાતા હતા. ગઈકાલના રોજ બીમારીથી કંટાળી વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

