રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર તાંત્રિક નવલસિંહ દ્વારા અલગ અલગ સ્થળે ૧૨ જેટલી હત્યાઓ કરવા અને તેને આપઘાત કે અક્સ્માત મોતમાં ખપાવી દેવાની ઘટનામાં પોલીસે અલગ અલગ સ્થળે થી તમામ આરોપોની ધરપકડ કરી હતી નવલસિંહ દ્વારા કરાયેલા12 હત્યા પૈકી વઢવાણ માં તેની પ્રેમિકાની હત્યા કરી લાશ વાંકાનેરના ધમલ પરમાં દાટી દેવાની ઘટનામાં વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધી હતી અને નગમાં ની હત્યા માં મદદગારી કરનાર આરોપી નવલસિંહ ની પત્ની પત્ની સોનલ અને ભાણેજ શકિત રાજ ની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જ્યારે ત્રીજો આરોપી જીગર ભનુભાઇ ગોહિલ કે જે નગમાંના માતા પિતા અને ભાઈની હત્યામાં સામે હોવાથી આં ત્રિપ્લ હત્યાની ઘટનાની તપાસ માટે જીગર ભનુભાઇ ગોહિલ રાજકોટ રૂરલ પોલીસ ની કસ્ટડીમાં હતો જયાથી તપાસ પૂર્ણ થતાં વાંકાનેર સિટી પોલીસે જીગર ભનુભાઇ ગોહિલ ગઢવી કબજો લીધો હતો અને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન આજે જીગર ને વઢવાણ લઇ જવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

