મોરબીના કબીર ટેકરી વિસ્તાર ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગરના વતની રામજીગીન જગદીશ ગોડ નામના પર પ્રાંતીય મજુર ગત ૩૦ ના રોજ રવાપર રોડ પર આવેલી ગાયત્રીનગર ૨ સોસાયટીમાં ભોગીલાલભાઈ અઘારાના મકાનનું કલર કામ કરતો હતો તે દરમીયાન બાજુના એક મકાનનું સેન્ટિંગ કામ ચાલતું હતું દરમીયાન તે તરફથી લોખંડનો સળિયો નીચે પડતાં રામજીગીનના માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી. એ ડિવિઝન પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી.

