મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર નામના યુવાન ગત તા 9 ના રોજ તેના ઘરે હતા તે દરમિયાન ગીરીશ નારણ કંજારિયા અને તેની સાથે આવેલા એક અજાણ્યા સખ્સે અડધી રાત્રે તલવાર સાથે ધસી આવ્યો હતો અને અરવિંદભાઈએ ગીરીશ તેમજ અન્ય ચાર આરોપી સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવાનું કહી બેફામ ગાળાગાળી કરી હતી અને રાત્રીના સમયે દંગલ મચાવતા મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો અરવિંદભાઈની ફરિયાદ આધારે પોલીસે બન્ને આરોપીઓ સામે બી.એન.એસ. ની ક.૩૫૧(૨),૩૫૨,૫૪ તથા જી.પી.એકટ ક ૧૩૫ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
સામે પક્ષે ગીરીશભાઈ નારણભાઈ કણજારીયાએ પ્રભુભાઈ પરમાર,પાંચાભાઈ પરમાર, જગાભાઈ પરમાર, મુન્નાભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર સામે અગાઉ ના ઝઘડાનો ખાર રાખી વજેપર શેરી નંબર 19માં ઉભો રાખી ગીરીશ ભાઈને પાંચાભાઈ તથા મુનાભાઈ તથા જગાભાઈ નાઓ આવેલ અને ફરિયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્યાંથી જતા રહેલ બાદ ફરિયાદીના મિત્ર મોટર સાઈકલમાં બેઠેલ હોય બાદમાં આરોપી પ્રકાશ આવેલ અને ગીરીશ ના મિત્ર પ્રદિપને મોટર સાઈકલ માંથી નિચે ઉતારી મોટર સાઈકલમાં નુકશાની કરી હોવાની ફરિયાદ નોધાવી છે

