વાંકાનેરના 25 વારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર ઉ.65 નામના વૃધ્ધને છેલ્લા દોઢ બે માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને માનસિક અસર થઈ જતા અસ્વસ્થ રહેતા હોય ગઈકાલે ઘેરથી નીકળી ગયા બાદ જીનપરા જકાત નાકા પાસે રોડની સાઈડમાં પડી જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

