ટંકારાના લજાઈ ગામે વિજય ઓઇલમિલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની દિનેશભાઇ અર્જુનભાઇ અજનાર, ઉ.વ.33 નામના શ્રમિક ગઈકાલે ઓઇલમીલના રૂમની બહાર સુતા હતા. ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ડો. ડી કે પટેલે ટંકારા પોલીસને જાણ કરતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

