વાંકાનેર વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી રાહુલભાઈ ખીમાભાઈ સરવૈયા એ ગત .- 28/06/2024 ના રોજ ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે તે સગીરાનું અપહરણ કરી ગયો હતો.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાયેલ સગીરાના અપહરણ તથા પોકસોના ગુનામાં ફરાર શખ્સ અને ભોગ બનનાર સગીરા અમરેલી હોવાની બાતમીના મળતા તે બંને ને પોલીસે અમરેલીથી શોધી કાઢી વાંકાનેર પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

