મોરબી શહેરના ભડિયાદ ગામ નજીક આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રહેતા અને ચોકીદારી નું કામ કરતા દેવજીભાઈ છગનભાઈ પરમાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધ તેની નોકરી પરથી પરત ફરતા હતા તે દરમિયાન ભડિયાદ રોડ પર આવેલા રામદેવપીર ઢોરાં વિસ્તારમાં ચાલીને આવતા હતા તે દરમીયા પ્રભુ બાબુભાઈ સુરેલા નામનો શખ્સ સામે આવ્યો હતો અને તેની પાસે ઉછીના રૂપિયાની માંગણી કરી હતી જોકે દેવાજીભીએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને પેટના ભાગે છરી મારી દીધી હતી ઈજા ને કારણે તેઓએ રાડા રાડ કરતા તેમની પડોશમાં રહેતામુન્ના ભાઈ અને તેણીએ પત્ની આવી આવ્યા હતા અને વૃદ્ધને ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેઓને આઈસીયુમાં દાખલ કર્યા હતા બનાવ અંગે વૃદ્ધે આરોપી પ્રભુ બાબુ સુરેલા સામે રૂપિયાની માંગણી કરી છરીના ઘા ઝીકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

