મોરબીના સતનામનગર પંચાસર રોડ વિસ્તારમાં રહેતા અને પીપળીયા ચાર રસ્તા સત્યસાંઇ સ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા છગનભાઇ મોતીભાઇ દાવાને ગઈકાલે ચાલુ કલાસે હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાંજ ઢળી પડયા હતા.જે બાદ છાત્રો એ અન્ય શિક્ષકોને જાણ કરતા છગનભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.બનાવ અંગે પોલીસે મુત્યુ અંગે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.