HomeGujaratઆચાર સંહિતા પૂર્ણ થતા ડે મામલતદાર ક્લાર્ક સહીતના કર્મીઓની બદલી

આચાર સંહિતા પૂર્ણ થતા ડે મામલતદાર ક્લાર્ક સહીતના કર્મીઓની બદલી

લોક સભા ચુંટણીને પગલે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ડે મામલતદારોનેં ચૂંટણી કામગીરી સંદર્ભે વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી હવે ચૂંટણી પૂર્ણ થઈ જતાં આચાર સંહિતા અમલવારી પણ પૂર્ણ થઈ જતાં જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ચોમાસુ નજીક હોય અને આવા સમયે  કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પુર અને અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા માટે તારીખ 1 જૂનથી 30 નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર માટે તથા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર બી.આર. ડોડીયા, એસ.બી.ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય), કે.એમ.રોય. ટંકારા, એચ.એમ.પરમાર, વાંકાનેર, એચ.જી. મારવાણીયા, માળીયા (મી.), ડી.એચ.સોનાગ્રા હળવદ, એચ.એમ.બારીયા,મોરબી (ગ્રામ્ય), પી.એચ.પરમાર, મોરબી, ઓ.એન.જાડેજા,કલેકટર કચેરી મોરબી, પી.આર. ગંભીર- શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, આર. કે.સોલંકી, મામલતદાર કચેરી ટંકારા, બી.એસ.પટેલ -શિરસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર એસ.જે.ઠુંમર, મોરબી, એસ.એ.કણઝરીયા, વાંકાનેર, જી.વી.મનસુરી, વાંકાનેર, એસ.એ.ઝાલાને ઇમરજન્સી રિસોપોન્સ સેન્ટરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત ક્લાર્ક જે.બી.લીખિયા, એચ.એમ.ભુત, એસ.ડી.કોરીંગા, બી.પી.પટેલ, વી.આર. વોરા, પી.ડી.ખોખાણી, બી.જે.જાડેજા, પી.એસ.જાડેજા, સી.પી.પટેલ અને એન.એસ. સોલંકીને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી અલગ અલગ કચેરીમાં ફરજ સોંપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW