અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝ ખાતે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ રમશે.
એક્સિડન્ટ બાદ આઇપીએલમાં પ્રથમવાર રમનાર રિષભ પંતની પણ વાપસી થઈ છે. યુવા ફિનીશર રીન્કુ સિંહને ભારતીય ટીમમાં પડતો મુકવામાં આવ્યો.
રોહિત શર્મા(કપ્તાન),યશસ્વી જયસ્વાલ,વિરાટ કોહલી,સુર્યાકુમાર યાદવ,રિષભ પંત(વિકેટ કીપર),સંજુ સેમસન(વિકેટ કીપર),હાર્દિક પંડ્યા(ઉપકપ્તાન),રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ,શિવમ દુબે,જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ,અર્શદીપસિંહ,યુઝવેન્દ્ર ચહલ,કુલદીપ યાદવ સહીત આમ કૂલ 15 ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવવા સફળ રહ્યા.જ્યારે શુભમન ગિલ,રીન્કુ સિંહ,ખલીલ અહેમદ,આવેશખાનનો ટ્રાવેલ રીઝર્વમાં સમાવેશ કરવામાં આવ્યો.