HomeGujaratમોરબીની સાર્થક વિદ્યા મંદિરમાં તુલસી દિવસ ઉજવણી કરાઈ

મોરબીની સાર્થક વિદ્યા મંદિરમાં તુલસી દિવસ ઉજવણી કરાઈ

દેશમાં વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણ થઇ રહ્યું છે ત્યારે મોરબીની વિવિધ શાળાઓમાં ફરી એકવાર ભારતીય સંસ્કૃતિના સિંચન માટે પ્રયાસ થઇ રહ્યા છે અને તેના ભાગરૂપે આજે મોરબીની સાર્થક વિધા મંદિરમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલ નહી પણ તુલસી દિવસની ઉજવણી કરવાની પરંપરા શરુ કરી છે અઆ પરંપરાના ભાગરૂપે આજે સાર્થક વિધા મંદિરમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં છાત્રોને તેમજ વાલીઓને શાળા પરિવાર દ્વારા તુલસીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે હાજર વાલીઓને તુલસીનું રોપણ કરી તેનું જતન કરવા અને સન્માન જાળવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. સાથે સાથે શાળામાં વિધાર્થીઓ માટે તુલસી સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યો હતો

આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા છાત્રોનો ડીસેમ્બરમાં જન્મ દિવસ હોય તેવા છાત્રોના હસ્તે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના છાત્રો અને તેના માતા પિતા મોટી સંખ્યામાં જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW