રાજસ્થાનમાં રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની કેટલાક શખ્સ દ્વારા અંધાધુધ ફાયરિંગ કરી હત્યા કરી દેવાઈ હતી.આં ઘટના બાદ રાજસ્થાનની સાથે સાથે દેશના અનેક રાજયમાં રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને સુખદેવ સિંહની હત્યા કરનાર આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માગણી સાથે ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહયા છે ત્યારે આજે મોરબીમાં પણ રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આં દુઃખદ ઘટનાને વખોડી કાઢી હતી અને આવેદન પત્ર આપ્યું હતું. અને આરોપીઓને વહેલી તકે ઝડપી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.

