મોરબી તાલુકાના ખોખરા હનુમાન ધામ નજીક આવેલા વિસ્તારમાં વવહેલી સવારે અમરશી નારાયણ સરકાર નમનો 23 વર્ષીય યુવક કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. જોકે રસ્તામાં કોઈએ અજાણ્યા શખ્સે તીક્ષણ હથીયારના ઘા ઝીકી દેતા ગંભીર ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ની ટીમે એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ ને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના પરિવારના સભ્યની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે

