મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા શકિત ટાઉનશિપમાં રહેતા કેટલાંક લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના ઘર પાસે થનારા આયોજન રદ કરવાની માગણી કરી હતી તેઓએ મોડી રાત સુધી થતાં આયોજનના કારણે તેના ઘર આસપાસ ઘોંઘાટ થતાં હોય અને બાળકો અને વડીલોનો મૂશ્કેલી થતી હોવાની ફરિયાદ કરી હતી.જોકે આ રજુઆત માં હવે નવો વળાંક આવ્યો છે.આજે આં સોસાયટી આસપાસના બીજા કેટલાંક લોકો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી કે તેનાં વિસ્તારમાં થતાં આં આયોજનથી તેઓને કોઈ મૂશ્કેલી નથી.સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા આયોજન હિન્દુ ધર્મના તહેવારને સારી રીતે લોકો ઉજવવી શકે તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ સંગઠન આર્મી જવાનોને મદદ કરે છે.
હાલમાં જે લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેવો કોઈ પ્રશ્ન તેમના વિસ્તારમા થાય તેમ નથી જેથી આં આયોજનમાં તેમને કોઈ મૂશ્કેલી નથી

