મોરબી જીલ્લામાં રવિવારે રાતથી મેઘરાજાની નવી ઇનિંગ શરુ થઈ અને જિલ્લા સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે એક તરફ દોઢ મહિના બાદ આવેલા વરસાદથી જન જીવન ખુશ ખુશાલ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ પીજીવીસીએલની ઘોર બેદરકારી પણ સામે આવી છે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવા મંદિર પાસેના એક વીજપોલમાંથી વીજ કરંટ લાગતા એક વાછરડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેક સ્થળે વીજ પોલ જોખમી રીતે ઉભા છે તો ક્યાંક ક્યાંક વીજ તાર પણ લટકી રહ્યા છે ત્યારે આવી બેદરકારીથી કોઈનો જીવ ન જાય તે માટે ખુદ લોકો જ સાવધાન રહે ખાસ કરીને નાના બાળકો વીજ પોલ કે વીજ ઉપકરણ પાસે ન જાય તેની તકેદારી રાખે તે જરૂરી છે

