હળવદ તાલુકાના રણમલપુર ગામ પાસેથી પસાર થતી માળિયા બ્રાંચની નર્મદા કેનાલમાંથી આજે સવારે એક યુવક અને યુવતીની મળી આવી હતી ઘટનાની જાણ થતા નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો હતો બાદમાં સ્થાનીક તરવૈયા અને ગામ લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

અને પીએમ અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ સમરત ડુંમાંણીયા અને યુવતીનું નામ સંગીતા ચાવડા હોવાનું અને બન્ને એક બીજાને પ્રેમ કરતા હોય પણ પરિવાર અને સમાજ એક નહી થવા દે એવા ડરથી કેનાલમાં એક બીજા સાથે ચુંદડી બાંધી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

