સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સંયોજકો એ જોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા ની સૂચનાથી કડવા પાટીદાર સમાજ કલ્યાણ પર ખાતે પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરી “સ્વામી વિવેકાનંદ વન” અભિયાનમાં સહભાગી થયા હતા.
આ તકે 66 ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, APMC ચેરમેન ભવાનભાઈ ભાગિયા , ટંકારા ભાજપ સંગઠન પ્રમુખ કિરીટભાઈ અંદરપા,જિલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુલાલ કામરીયા, અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા, કલ્યાણપર ગામના સરપંચ મનહરભાઈ પટેલ, ટંકારા તાલુકા ભાજપ પ્રભારી રવિભાઈ રબારી, જિલ્લા પંચાયત મહિલા સભ્યના પતિ અશોકભાઈ ચાવડા, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, દિનેશભાઈ વાઘરીયા, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, રશ્મિકાંત દુબરીયા, RDC ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા ,હસમુખભાઈ દુબરીયા, ટંકારા સંયોજક નિલેશભાઈ પટણી, તથા સંયોજક રાજ દેત્રોજા, સહિતના ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

