મોરબીના અમરનગર નજીક આવેલ કોજી સીરામિકમાં રહેતા મૂળ 19 વર્ષના પરપ્રાંતીય મજુર વિનોદભાઈ મોહનભાઈ બથવાર અને પીન્કીબેન દિલીપભાઈ ભુરીયા નામના પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી લેતા બન્નેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રથમ વિનોદને મૃત જાહેર કર્યો હતો જયારે પીન્કીબેનની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી.જોકે તેની પણ સારવાર કારગત ન નીવડતા પ્રેમિકા પીન્કીબેનનું પણ મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી મૃતકના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી અહાથ ધરી હતી

