મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજિત ચતુર્થ રજવાડી સમુહલગ્નનું આયોજન તા ૧૧-૩-૨૦૨૩ શનિવારે સાંઈબાગ જનકલ્યાણ નગર ઉમા ટાઉનશીપ ગેટ સામે મોરબી -૨ ખાતે રાત્રીના સમૂહલગ્ન યોજાશે જેમાં સાત યુગલો લગ્નગ્રંથિ જોડાશે કન્યાઓને કરિયાવરમાં સોના- ચાંદીના દાગીનાથી માંડી ગૃહઉપયોગી ૮૫ ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવે છે આ સમૂહ લગ્નમાં મુકેશગીરી દલપતગીરી ગોસ્વામી (ડેરીવડારા) ડો મનીષગીરી કાંતિગીરી ગોસ્વામી (રાજકોટ ) ગોસ્વામી સોમગીરી પ્રભાતગીરી (રાજકોટ) મહંતશ્રી સચ્ચિદાનંદ ગીરીજી (રાષ્ટ્રીય અધ્યક્ષ) સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી મહંત ભાવેશ્વરીબેન ( રામધન આશ્રમ મોરબી) મહંત હરેશપ્રગટ (દળવા- રાંદલ ) મહંત રવિન્દ્રગીરી તથા મનોજગીરી ( ચોટીલા મંદિર) સહિત સંતો- મહંતો ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે આશિર્વચન તથા સંભા સાંજે ૭ વાગે યોજાશે સમૂહ લગ્નને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ઉપ પ્રમુખ બળવંતગીરી મંત્રી નિતેષગીરી સહમંત્રી અમિતગીરી સહિત સભ્યોની ટીમ જેહમત ઉઠાવી રહી છે.સમસ્ત દશનામ ગોસ્વામી સમાજને પધારવા જાહેર આમંત્રણ આયોજક એ પાઠવ્યું છે

