મોરબીની પ્રસિદ્ધ સાયન્ટીફીક કલોક મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના પત્ની અને સાસુ સિકંદરાબાદ જતા હતા નકુલભાઈ તેમના પત્ની અને સાસુને સ્ટેશન સુધી મુકવા વાંકાનેર રેલ્વે સ્ટેશન ગયા હતા અને તેઓ પત્ની અને સાસુનો સામાન મુકવા કોચમાં ચઢ્યા હતા આ દરમિયાન ટ્રેન શરુ થઇ જતા નકુલભાઈ ઉતાવળે ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન નકુલભાઈએ બેલેન્સ ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા અને તેને ગંભીર ઈજા પહોચી હતી જેટી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે આરપીએફ દ્વારા આ અંગે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

