મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ સોનેટ સિરામિક ફેક્ટરી નજીક જીજે૩૬યું ૦૧૪૩ નંબરની રિક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન જીજે૩૬એલ ૦૫૨૦ નંબર ની કાર અચાનક આવી પહોંચી હતી અને આગળ જતા એક વાહનને ઓવર ટેક કરવાના ઇરાદે અચાનક ધસી આવી હતી અને રિક્ષાને ઠોકર મારતાં રિક્ષાપલ્ટી મારી ગઈ હતી
ઘટનામાં રિક્ષામાં સવાર મહેશભાઈ ધનજીભાઈ રુદાતલાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતુ જ્યારે રિક્ષા ચાલક જયંતિ ભાઈને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે કાર ચાલક વિરધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

