તાજેતરમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં 5.6 તીવ્રતાના ભૂકંપે મોટા પાયે જાનહાની કરી હતી આ ઉપરાંત સોલામાન ટાપુ પર 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો વિશ્વના બીજા દેશની સાથે ભારતમાં પણ ભૂકંપનો અનુભવ થઇ રહ્યો છે ગઈ કાલે લદાખથી 191 કિમી દુર કારગીલમાં ભૂકપના આચકા અનુભવાયા હતા તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ભૂકંપના આચકા વધી કતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આવા સમયે સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આચકા લોકોને ડરાવી રહ્યા છે . બુધવારના રોજ અમરેલીમાં જિલ્લામાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
ભૂકંપ આવતા મીતીયાળામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપને કારણે મીતીયાળાના મકાનોમાં તીરાડો પડી હતી અને ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ભય ફેલાયો હતો. મીતીયાળા અભ્યારણના જંગલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના વાંકિયા ગામમાં પણ ભૂકંપનો આંચકો અનુભાવાયાની પણ જાણકારી છે. બપોરે 12.47 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

