મોરબીની સૌથી દર્દનાક અને ગોજારી ઘટના પૈકીની એક એવી ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા બાદ આ કેસમાં સરકાર અને તપાસ ટીમ દ્વારા યોગ્ય તપાસ ન કરવામાં આવતા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે અને તેને લઇ હાઈકોર્ટમાં પણ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલની આજે હાઈકોર્ટમાં સુનવણી શરુ કરવામાં આવશે.
દુર્ઘટનામાં જેમનો ભોગ લેવામાં આવ્યા છે તેમના પરિવાર દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી છે. કેટલાક પરિવારના ભોગ બનનાર પરિવાર દ્વારા હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં પણ તપાસ કરાવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

