વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં રહેતા લાલજીભાઈ ટીસાભાઈ સરાવડીયા ગામમાં આવેલ દશામાં મંદિરથી થોડે દુર લઘુ શ્નાન્કા કરતા હતા તે દરમિયન સુરેશભાઈ સાદુરભાઈ વીજવાડીયા અને વિપુલ ધીરાભાઈ નામના 2 શખ્સ આવી ચઢ્યા હતા અને અહી કેમ લઘુશંકા કરે છે તેમ કહી ગાળો આપી હતી તેમજ વિપુલ નામના શખ્સે લાલજીભા પર છરી વડે હુમલો પગના ભાગે ઈજા પહોચાડી હતી જે બાદ તેમને આરોપી પાસેથી છરી છીનવવા પ્રયાસ કર્યો હતો તેમ છતાં તેમણે ગળાના ભાગે પણ ઘા વાગતા ઈજા પહોચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે યુવકની ફરિયાદ આધારે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

