મોરબીના ધૂળકોટ ગામમાં રહેતા હિમાંશુભાઈ શાંતિલાલ ભાઈ સાપરિયા નામના યુવકના પિતા શાંતિલાલ કરસનભાઈ તેનું જીજે 10 બી જી 7390 નમ્બરનું બાઈક લઈને જતા હતા.ત્યારે આમરણ ગામ નજીક બસ સ્ટેશન પાસે મોરબી-ઝીંઝુડા રૂટની જી.જે.18 વાય-9548વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી બાઇકને ઠોકર મારતા બાઇકમાં સવાર શાંતિલાલભાઈ સાપરિયાને ગંભીર ઇજા પહોંચી હતી ઘટનામાં આધેડનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ અંગે મૃતકના પુત્ર હિમાંશુ ભાઈએ એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

