દેશની ત્રીજી અને પશ્વિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનની શુક્રવારે ટ્રાયલ રન યોજાઈ હતી. આ ટ્રાયલ રનમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 491 કિલોમીટરનું અંતર 5.14 કલાકમાં જ્યારે પરત ફરતી વેળાં મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર 5.04 કલાકમાં કાપ્યું હતું.
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન માટે એક પ્રપોઝલ તૈયાર કરઈ હતી. જેમાં ટ્રેનને ક્યાં ક્યાં સ્ટોપેજ આપવું અને કેટલા વાગે દોડાવવું તે અંગેની સંપૂર્ણ વિગત દર્શાવવમાં આવી છે. ત્યારે વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડાવવા આયોજન કરાઈ રહ્યું છે. અમદાવાદથી આ ટ્રેન સવારે 6.05 કલાકે ઉપડી બપોરે 1.30 કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે પરત મુંબઈ સેન્ટ્રલથી પરત બપોરે 2.40 કલાકે ઉપડી અમદાવાદ રાત્રે 9.05 કલાકે પહોંચશે.

